Neelkrish Osan. F
વિજ્ઞાન અને ટેક્નોલોજી આપણા ભૌતિક અથવા બાહ્ય જીવનના પ્રશ્નોના ઉકેલો પ્રદાન કરી શકે છે. AI ની રજૂઆત સાથે, ભાષા અને વિશાળ માહિતીના રૂપમાં, એવું લાગે છે કે આપણી પાસે જાણે બધા જ પ્રશ્નોના જવાબો છે. જો કે, જીવન અને અસ્તિત્વની વિશિષ્ટ પ્રકૃતિ એટલી ઊંડી, વિશાળ અને રહસ્યમય છે કે માનવ જીવનના ગહન પ્રશ્નો માત્ર શબ્દના અર્થો અને તેની વ્યાખ્યાઓ દ્વારા ઉકેલી શકાતા નથી. જીવનના વિષયો જેવા કે મન, ધર્મ, અહંકાર, યોગ, પ્રેમ અને ધ્યાન જેવી બાબતોને માત્ર બુદ્ધિ દ્વારા સમજી શકાતા નથી. ધ્યાનની પુરૂષવાચી ઉર્જા અને પ્રેમની સ્ત્રૈણ ઉર્જા વચ્ચે દેખીતી રીતે વિરોધ હોવાને કારણે સર્વત્ર વિરોધાભાસ પણ જોવા મળે છે. છતાં, આ પ્રયોજન શૂન્ય અસ્તિત્વમાં યથાર્તતા અને સાર્થક જીવન પણ હોઈ શકે છે. તેમાં આપણને સંપૂર્ણ વિરોધાભાસ અથવા મતભેદ લાગતો હોવા છતાં પરમ સમરસતા કે સંવાદિતાના સ્વર પણ શામેલ હોય છે. આ તમામ જીવનના પાસાઓ માત્ર આંતરિક દ્રષ્ટિ દ્વારા જ અનુભવી શકાય છે, જે નવા પરિમાણ અથવા આંતરિક સ્તરની ગહન ચેતનામાં પ્રવેશ કરીને પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે વ્યક્તિ ધ્યાન અથવા પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે, અસ્તિત્વના સમગ્ર ઊર્જાના પ્રવાહ સાથે ભળી જાય છે, ત્યારે વ્યક્તિની ચેતના શાશ્વત, કાલાતીત શૂન્યતા સાથે એક બની જાય છે. તે સમયે, બધું વિપરીત અને અસ્પષ્ટ હોવાને બદલે રહસ્યમય બની જાય છે. આ પુસ્તક એવા લોકો માટે મદદરૂપ થઈ શકે છે જેઓ બાહ્ય સતહની સપાટીની દુનિયાને પાર કરીને આંતરિક ચેતનાના નવા પરિમાણ સુધી પહોંચવા માગે છે. જેમની વાસ્તવિક જીવન માટેની આંતરિક ઝંખના પરિપક્વ થઈ ગઈ છે, જેઓ જીવનના રહસ્યોને સ્પર્શવા માટે ખરેખર અતૃપ્ત પ્યાસ અનુભવે છે. તેમના માટે આ પુસ્તક વૈકલ્પિક રસ્તો બની શકે છે. વ્યક્તિના જીવનમાં તમામ અનુભવો અને બીજું પણ ઘણું બધું હોવા છ